રાજ્યભરની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલીનો નિર્ણય હાલ પુરતો સ્થગિત રાખ્યો છે.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી સ્થગિત
શિક્ષણ વિભાગે નિર્ણય અંગે પરિપત્ર જાહેર કર્યો
કેટલીક વિસંગતતાને લીધે આંતરિક બદલી સ્થગિત રખાઈ
રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધીકારીને પરિપત્ર મોકલાયા
શિક્ષકોની બદલીને લઈને શિક્ષણ મંત્રીએ તાજેતરમાં રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલીને લઈને મહત્વની જાહેરાત કરી હતી. જો કે, આજરોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી આ આંતરિક બદલીના નિર્ણયને હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક પરિપત્ર જાહેર કરીને પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલીના નિર્ણયને સ્થગિત રાખવાની સૂચના આપવામાં આવી છે. સ્થગિત રાખવા પાછળનું કારણ કેટલીક વિસંગતતા હોવાનું પણ જણાવાયું હતું. આ સાથે જ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર પણ મોકલવામાં આવ્યા હતા.