ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડાર્ક ઝોનમાં કૃષિ કરવા માટે વીજ જોડાણ પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. સરકાર દ્વારા વીજ જોડાણ માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજિયાત નથી કરવામાં આવી છે.
વીજ જોડાણ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની જોગવાઈને મોકૂફ રાખવામાં આવી છે. અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી જોગવાઈ મોકૂફ રાખવામાં આવી છે.
ચોમાસામાં અપૂરતા વરસાદને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ભૂગર્ભ જળસ્તર નીચે જતા 57 તાલુકામાં ડાર્ક ઝોન જાહેર કરાયો હતો. ત્યારે હવે સરકારની આ જાહેરાતથી ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ 57 તાલુકાઓને ફાયદો મળશે.
આપને જણાવી દઇએ કે ડાર્ક ઝોનમાં કૃષિ કરવા માટે વીજ જોડાણ પ્રક્રિયા પહેલા થોડી અટપટી હતી જેના કારણે રાજ્યના ખેડૂતોને તકલીફ ભોગવવી પડતી હતી. જો કે આજરોજ રૂપાણી સરકાર દ્વારા આજરોજ ડાર્ક ઝોનમાં કૃષિ કરવા માટે વીજ જોડાણ પ્રક્રિયા સરળ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.