ગાંધીનગર: ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ગાંધીનગરમાં ખેડૂતોને લઈને નિવેદન આપ્યું છે કે ચણા અને રાયડાની ખરીદી માટે નાણાકીય જોગવાઈમાં કેન્દ્ર સરકાર દ્રારા વધારો કરાયો છે.
29 હજાર કરોડના બદલે હવે 42 હજાર કરોડનો ફંડ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યો છે. હવે સોમવારથી ખેડૂતોને ક્રમશ: આ ચુકવણું થશે.ઉલ્લેખનીય છે કે ચણાં અને રાયડાની ખરીદીના પેમેન્ટ પેટે સરકારે આશરે ૫૨૩ કરોડ જેટલી રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે. એક તરફ રાજ્યમાં ચોમાસુ માથે હોવા છતાં ખેડૂતોને બે મહિનાથી નાણા નહીં મળ્યા હોવાની ઘટના બની હતી. જો કે રાજ્ય સરકારના ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા ખેડૂતોની નાણાની ચૂકવણી હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા જગતના તાત ખુશ થયા હતા.
આપને જણાવી દઇએ કે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આજરોજ ખેડૂતલક્ષી નિવેદન આપતા જણાવેલ કે ચણા અને રાયડાની ખરીદી માટે નાણાકીય જોગવાઈમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે 29000 કરોડના બદલે 42000 કરોડનો ફંડ કેન્દ્ર સરકાર દ્વારા રિલીઝ કર્યો છે. આ ફંડના નાણાની ચૂકવણી સોમવારથી તબક્કાવાર ખેડૂતોને કરવામાં આવેશ. ભાજપના નેતા અને ગુજકોમાસોલના ચેરમેન માધ્યમો સાથેની પોતાની વાતચીતમાં ઉમેર્યું કે હાલ વરસાદ છે જેથી ખરીદી ચાલુ રાખવી કે બંધ તે નિર્ણય જલ્દી કરવામાં આવશે.