ગાંધીનગર: ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિને લઇને સિંચાઇમંત્રી પરબત પટેલે ગાંધીનગરમાં 9 જિલ્લાના કોંગ્રેસ-ભાજપના 34 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. સિંચાઇમંત્રીએ પીવાના પાણીને લઇને ધારાસભ્યોના સૂચનો સાંભળ્યા હતા.ઉનાળામાં ઉભી થનારી સંભવિત માગ પાણી પુરવઠાને લગતા પ્રશ્નો સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે જ્યાં વીજ કનેક્શન નથી તે મામલે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. બીજી તરફ પરબત પટેલે જણાવ્યું હતું કે હાલમાં પીવાના પાણીનો કોઇ પ્રશ્ન નથી.પીવાનું પાણી ગુજરાત પાસે પૂરતા પ્રમાણમાં છે.
જૂલાઇ મહિના સુધી પીવાનું પાણી મળી રહે તેવું આયોજન છે. અને મુખ્ય કેનાલમાં પાણી ઉપલબ્ધ છે. બેઠકમાં ઉત્તર ગુજરાતના ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. થોડા દિવસ અગાઉ આ જ પ્રકારે સૌરાષ્ટ્રના 7 જિલ્લાની બેઠક મળી હતી.