રાજ્યમાં કમોસમી વરસાદ થતાં સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આમ ખેડૂતોના રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે.
ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજનો મામલો
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ
હજુ 26 લાખ ખેડૂતોએ નથી કરી અરજી
જો કે હજુ સુધી રાજ્યમાં 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન અરજીનીસમય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ જતા સરકાર દ્વારા 3800 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના 56 લાખ ખેડૂતો ખાતેદાર છે. સરકારના પેકેજનો લાભ લેવા માટે 30 લાખ ખેડૂતોએ અરજી કરી છે.
જો કે હજુ પણ 26 લાખ જેટલા ખેડૂતોની અરજી કરવાની બાકી છે. જેને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
જો કે અગાઉ કૃષિ મંત્રી આર. સી. ફળદુ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવ્યું હોય તે ખેડૂતોને સહાય નહીં મળે.