ગાંધીજીની 150મી જન્મજયંતીની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં ગાંધી કુટીરમાં પણ રજા રાખવામાં આવી છે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે ગાંધીજી હોત તો રજા રાખત?
''જીવન મળ્યું મજા છે, કોણે કહ્યુ સજા છે?
ઈશ્વર સતત છે કાર્યરત તો હું કેમ કહું કે રજા છે.''
તંત્રની બેદરકારી ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે કે રાજ્યના પાટનગરને જ દાંડી કુટીર અને ગાંધીજીના સંગ્રહાલયને બંધ રાખવામાં આવ્યું છે. વિશ્વભરમાં ગાંધી જયંતી નિમિત્તે જ્યારે ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં જ જોવા લાયક સ્થળને બંધ રાખવામાં આવ્યુ છે. રજાને લઈને ઉઠી રહ્યા છે આક્ષેપો.
મીઠાના પીરામીડ આકારનું ગાંધી સ્મૃતીનું સંગ્રહાલય આજના દિવસે જ બંધ છે. દશેરાના દિવસે જ ઘોડુ ના દોડે તેમ ગાંધી જયંતીને દિવસે જ લોકો ગાંધી આશ્રમ કે ગાંધીજીને લગતી જગ્યાઓની મુલાકાત લેતુ હોય ત્યારે દાંડી કુટીરને ખંભાતી તાળુ લગાવી દેવામાં આવ્યુ છે. પ્રવાસીઓ ત્યાં જઈ જઈને પાછા આવી રહ્યા છે.
તંત્રની ઘોર બેદરકારી આવી સામે
ગાંધીજીની જીવનયાત્રાને લગતુ પ્રદર્શન મુકાયુ છે. અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે કે આજના આવા અવસરમાં આવી ગફલત થઈ જ કેમ શકે તેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે.
કરોડોના ખર્ચે કાર્યક્રમો અને દીવા તળે અંધારૂ
સરકારી કાર્યક્રમો પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પણ ખરેખર ગાંધીજીની સ્મૃતિઓ પાછળનો ખર્ચો પ્રજા સુધી પહોંચી શકે છે ખરો? કરોડોના ખર્ચે મહાત્મા મંદિરની અંદર દાંડી કુટીર બનાવવામાં આવી છે જેને તેમની જ જન્મજયંતીને દિવસે બંધ રાખવામાં આવી છે.
શું છે દાંડી કુટીર
ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે મીઠાનો ઢગલા પાસે એક પિરામિડ બનાવવામાં આવ્યોબનાવવામાં આવ્યો છે. જેની અંદર ગાંધીજીના જીવનને લગતી ઝરમરની ઝાંખી થાય છે. આ દિવસે શાળાઓ દાંડી કુટીરના પ્રવાસ ગોઠવી શકી હોત. પણ તંત્રની નિષ્કાળજી ઉડીને આંખે વળગી રહી છે.