ભાજપના કાર્યકર્તા બાળકની સંભાળ લઈ રહ્યા છે: સી આર પાટીલ
ગાંધીનગરમાં ગત રાત્રે બનેલી 10 મહિનના બાળકને તરછોડવાની ઘટનાને સી આર પાટીલે દુઃખદ ગણાવી છે. અને કહ્યું છે કે ભાજપના કાર્યકરો દ્વારા હાલ બાળકની સાર સંભાળ અને મેડિકલ ટ્રીટમેન્ટ થતી હોવાનું જણાવાયુ છે અને હવે આ મામલે કાયદાકીય પગલાં ભરવાની પણ ખાત્રી આપી છે.
ભાજપના કાર્યકરો પણ બાળકની સંભાળ લઈ રહ્યા છે
ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાનો મામલો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાઇ રહ્યો છે. ડોકટરોએ હાલ તેનું સ્મિત નામ પાડ્યું છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું છે કે 10 મહિનાના બાળકને કોઈ મુકી ગયુ એ ગંભીર બાબત છે બાળકના પરિવાર જનોની શોધખોળ મામલે ટીમો કામે લાગી ગઈ છે. ડોકટરો તેમજ ગાંધીનગરના ભાજપના કાર્યકર્તા અને સેવાભાવી સંસ્થાઓ બાળકની રખેવાડી કરી રહ્યા છે. ગુનેગારોને કડકમાં કડક સજા થશે તેવી હામ પણ પાટીલે ભરી હતી.
તરછોડાયેલ બાળક મળવા મામલો મોટા ખુલાસા
આ બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનો ખુલાસો થયો છે. તો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે,પોલીસ દ્વારા સફેદ કલરની કાર પણ કબજે કરવામાં આવી છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે આ બાળકને ગઈકાલે રાતે જ તરછોડી દેવામા આવ્યું હતું તેવો પણ ખુલાસો થયો છે.
ગૃહરાજ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન
પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી બાળક મળવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે. તેઓ આજના તમામ કાર્યક્રમો સ્થિગિત કરી દીધા છે અને આજે તેઓ સિવિલની મુલાકાત લીધી છે જ્યાં બાળકને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યો છે જેના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરવામાં આવી છે, સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસમાં જોડાવવા સૂચના આપી છે.
બાળકની તસવીરને શેર કરવાની કરી અપીલ
નાગરિકોને અપીલ કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો સારા હેતુ માટે ઉપયોગ થાય અને બાળકની તસવીરને મેક્સિમમ શેર કરવામાં આવે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે,હાલ દિપ્તી બહેન બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.