ગાંધીનગરઃ દુષ્કર્મ કેસ મામલે આસારામની ગાંધીનગર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે સાક્ષીઓની જુબાનીની ઉલટ તપાસ ચાલી રહી છે.. મહત્વનુ છે કે 3 દિવસથી દુષ્કર્મ કેસ મામલે જોધપુર કોર્ટથી વીડિયો કોન્ફરેન્સ મામલે આસારામ કોર્ટમાં હાજર રહેશે. આ કેસમાં અત્યાર સુધી 36 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ગુરૂવારે જુબાની લેતી સમયે સાક્ષીની તબિયત લથડતા જુબાની અટકાવવામાં આવી હતી. જેના કારણે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે આસારામ સામે સુરતમાં 2013માં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ કેસમાં અત્યાર સુધીમાં 28 જેટલા સાક્ષીઓના નિવેદનો લેવાયા હતા. જો કે આ કેસ મામલે યુવતીની પણ ઉલટ તપાસ હાથ ધરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે જેલમાં બંધ આસારામ વિરૂદ્ધ સુરતની બે બહેનો દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવાય હતી. મોટી બહેને આસારામ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે સુરતની બન્ને બહેનોએ આસારામના દિકરા નારાયણ સાઇ વિરૂદ્ધ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં આસારામ નારાયણ સાઇ આસારામની દીકરી ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી પણ આરોપી છે.