ગુજરાતમાં વકરતા કોરોના વાયરસના કહેર વચ્ચે ગાંધીનગરથી મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને કોરોના સામે લડવા માટે રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 244 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મનપાને 50 કરોડ ફાળવામાં આવ્યાં છે. જ્યારે અમદાવાદ માટે 1 કરોડના ટોસલિજુમેબ ઇન્જેકશનની ખરીદી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી ફાળવણી
કોરોના સામે લડવા માટે રકમની ફાળવણી
અત્યાર સુધીમાં કુલ રૂ. 244 કરોડની ફાળવણી
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી રકમની ફાળવી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર મનપાને રકમની ફાળવણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાંથી ફાળવણી કરવામાં આવી છે. કોરોના સામે લડવા માટે રકમની ફાળવણી કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ 244 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ મનપાને રૂ.50 કરોડ ફાળવાયા છે. સુરત મનપાને રૂપિયા 15 કરોડ ફાળવાયા છે. રાજકોટ-વડોદરા મનપાને 10-10 કરોડ ફાળવાયા છે. તો ભાવનગર, જામનગર, ગાંધીનગર મનપાને 5-5 કરોડ ફાળવાયા છે. અમદાવાદમાં 1 કરોડના ટોસિલિજુમેબ ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી છે.