કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
કોંગ્રેસને પડી શકે છે વધુ એક ફટકો
શ્વેતાએ PM મોદી સાથે કરી મુલાકાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનો ભરતી મેળો ચાલી રહ્યો છે.ત્યારે પક્ષ પલટા માટે જાણીતી કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા પક્ષ સાથે છેડો ફાડી શકે તેવી શકયતા છે..કોંગ્રેસના મહિલા આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી. જોકે શ્વેતાએ BJPમાં જોડાવવા ની વાત નકારી છે.પરંતુ કોંગ્રેસ માટે નારાજગી વ્યક્ત કરી છે.તેથી PM સાથેની મુલાકાત બાદ હવે શ્વેતા ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે..
કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત બાદ શું કહ્યું?
ઘણા વર્ષો પછી તેઓને મળવાનું થયું. દરેક યુવાઓ તેમના માંથી પ્રેરણા લેવી જોઇએ. સમગ્ર દિવસના અત્યંત વ્યસ્ત સિડયુઅલ બાદ પણ તેઓનું હું રાત્રે 8 વાગ્યે મળી હતી તે ખૂબ જ ફેશ અને એનર્જેટિક દેખાતા હતા. રાજકારણને બાજુમાં મૂકીને એક વ્યક્તિત્વ તરીકે જોઈએ તો તે ખૂબ જ પ્રેરણા આપે છે.
શું ભાજપની વિચારધારા સાથે જોડાશે શ્વેતા બ્રહ્મભટ્ટ
ચૂંટણી નજીક આવી રહી છે ભાજપ આપ હોય કે કોંગ્રેસ સારા વ્યક્તિ અને સમાજ પર સારી પકડ ધરાવતા લોકોને વિચારધારા સાથે જોડવાનું કામ કરી રહી છે. વહેલી ચૂંટણીની વાતો થઈ રહી છે તમામ પક્ષો જોરશોરથી ચૂંટણીલક્ષી કાર્યક્રમો વ્યસ્ત છે. એક સપ્તાહ પહેલા જ પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા ગુજરાતમાંથી ખાલીખમ એકલી પડી ગઈ હોય તેવુ દેખાઈ રહ્યું છે. ત્યારે શ્વેતા બ્રહ્મભટ્ટની પીએમ મોદી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસને આવનાર સમયમાં મોટો ફટકો પડે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.