ગાંધીનગર: સ્માર્ટ એકેડેમીના સંચાલક કલ્યાણસિંહ ચંપાવત ફરી એક વખત વિવાદોના ઘેરામાં સંપડાયા છે. 11 યુવાનોને નોકરી આપવાને બહાને કરોડોની છેતરપિંડી થઈ હોવાનો આરોપ સામે આવ્યો છે. 11 યુવાનોને કંડલા પોર્ટમાં નોકરી આપવાને બહાને રૂપિયા 1.54 કરોડની ઠગાઈ કરવામાં આવી છે.
યુવાનોને બોગસ સર્ટિફીકેટ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નામે આપવામાં આવ્યા હતા અને રૂપિયા ખંખેરાયા હતા. આ તમામ 11 યુવાનો ગાંધીનગર સ્થિત સ્માર્ટ એકેડેમીમાં કોચિંગ કરતા હતા અને મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ગઢવી અને સમીર ખાનેઆ કૌભાંડ આચર્યું હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી રહી છે.
#gandhinagar સ્માર્ટ એકેડેમીના સંચાલક કલ્યાણસિંહ ચંપાવત ફરી એક વખત વિવાદમાં
11 યુવાનોને નોકરી આપવાને બહાને આચરી કરોડોની છેતરપિંડી પહેલા પણ આવી ચુક્યા છે વિવાદમાં pic.twitter.com/DzwPnbU4qK
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે આવેલ સ્માર્ટ એકેડેમીના સંચાલક સામે આ પહેલા પણ તલાટી કૌભાંડ અને એક મહિલાની છેડતીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ફરીએકવાર સ્માર્ટ એકેડેમીના સંચાલક કલ્યાણસિંહ ચંપાવત વિવાદોના ઘેરામાં સપડાયા હતા.
ચંપાવતે સ્માર્ટ એકેડમીમાં કોચિંગ માટે આવતા 11 યુવકનો નોકરી આપવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ યુવાનોએ જણાવ્યું કે કંડલા પોર્ટ પર નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી 1.54 કરોડની ઠગાઈ કરવામાં આવી છે.