ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયગાળાથી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનું નિવેદન આપ્યું છે.
ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણનો CMનો ઇન્કાર
ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું નથી: CM
મંત્રી મંડળના વિસ્તારની વાત હવામાં છે: CM
ગાંધીનગર ખાતે યોજાયેલ વોક ઈન વેક્સિનેશનના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યોગ દિવસે રસીકરણ અભિયાન શરૂ થયું છે અને રાજ્યના તમામ નાગરિકોને રસી લેવા માટે અપીલ છે. તો આ સાથે જ ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું નથી : CM રૂપાણી
CM રૂપાણીએ મંત્રી મંડળના વિસ્તરણને લઈને ઇન્કાર કર્યો હતો અને સ્પષ્ટતા પણ કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું નથી અને મંત્રી મંડળના વિસ્તારની વાત હવામા છે. છેલ્લા ઘણા સમયથી એવી વાતો ચાલી રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે. પરંતુ આ મુદ્દે આજે મુખ્યંમંત્રીએ સામેથી સ્પષ્ટતા કરી કે મંત્રીમંડળનું વિસ્તરણ નથી થવાનું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2021
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કેબિનેટમાં વિસ્તરણની ચાલી રહી છે ચર્ચા
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપની બેઠકનો દોર જામ્યો છે. તો થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે. તો ભાજપની મેરાથોન બેઠકને લઈને પણ રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગુજરાત કેબિનેટમાં વિસ્તરણની માત્ર વાતો છે, કોઈ જ ફેરફાર થવાના નથી.
સ્પોટ વેક્સિનેશન
તે સિવાય રૂપાણી સરકાર દ્વારા આજથી ગુજરાતમાં વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે 18 વર્ષથી ઉપરની વયના લોકોએ વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નહી પડે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે પોતે જણાવ્યું કે હવે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના લોકોએ રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નહી પડે.