રાજ્યમાં બાળકોના મોત મામલે રાજ્ય સરકાર એકશનમાં આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગની તાકીદે બેઠક બોલાવી છે.
બાળકોના મોત મુદ્દે મુખ્યમંત્રીએ તાકીદ બેઠક બોલાવી
ગાંધીનગરમાં CM નિવસ્થાને આરોગ્ય વિભાગની બેઠક
બાળકોના મોત મામલે મુખ્યમંત્રીએ માગ્યો રિપોર્ટ
ગુજરાત રાજ્યમાં બાળકોના મોત મામલે હવે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે. ગાંધીનગરમાં CM નિવાસસ્થાને આરોગ્ય વિભાગની બેઠક મળશે. આ બેઠકમાં બાળકોના મોત મામલે મંથન કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે રિપોર્ટ પણ માગ્યો છે. જ્યારે આરોગ્ય અગ્ર સચિવ પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં 1032 બાળકના મોત નિપજ્યાં છે. જે મામલે હવે મુખ્યમંત્રી રૂપાણીએ બેઠકોનો દોર શરૂ કર્યો છે અને રિપોર્ટ પણ માગ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં છે. રાજકોટમાં 2019માં 1235 બાળકોના મોત થયા છે.
જ્યારે રાજકોટની PDUમાં 2019માં 889 બાળકોનાના મોત થયા થયા છે. જ્યારે અમદાવાદમાં 3 મહિનામાં 253 બાળકોના મોત થયા છે. તો સુરતની સિવિલમાં 2019માં 661 અને વડોદરાની SSGમાં 877 બાળકોના મોત થયા છે.