સુરતના તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 4 મનપાના કમિશનરને બોલાવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને બેઠક મળશે.
જેમાં સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને સીએમ રૂપાણીએ બોલાવ્યાં છે. ઉલ્લેખનીય છે સુરતના અગ્નકાંડ બાદ રાજ્ય સરકારના એકશરૂપે 4 મનપા કમિશ્નરને મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને બેઠક માટે બોલાવ્યાં છે.
આ બેઠકના એજન્ડા રૂપ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે અંગે બેઠકમાં પ્લાનિંગ કરવામાં આવશે. આ બેઠકમાં GSDM ઓથોરિટી અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટને સાથે રાખી પ્લાનિંગ કરવામાં આવશે. જ્યારે આ અંગેના જરૂરી ખર્ચની મંજૂરી પણ તાત્કાલિક ધોરણે આપવાની શક્યતા જોવા મળી રહી છે.
આમ સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરના મનપા કમિશ્નરને મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાને બોલાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે SIT જેવી એજન્સી દ્વારા કેસની તપાસ કરવાની પણ માંગ ઉઠી હતી. સુરત અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યાં હતા.