ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. કાયદાઓ વધુ કડક બનાવી અસામાજિક તત્વો-ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશ આવી હુલ્લડ મુકત સુખી-સમૃદ્ધ-શાંત સુખી-સમૃદ્ધ-શાંત ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવું છે.
CM રૂપાણીએ ભાવનગર પોલીસ આવસનું કર્યું ઇ-લોકાર્પણ
રૂપિયા 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ
CM રૂપાણીએ કોરોના અંગે પણ આપી માહિતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું છે. 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણને લઇને સંબોધનમાં કોરોના અંગે પણ માહિતી આપી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 50 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યની કુલ વસ્તીના 8 ટકા વસ્તીના કોરોના ટેસ્ટ થયા.
CM રૂપાણીએ કોરોનાને લઇને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં રિકવરી રેટ 87 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાતી મૃત્યુ દર ઘટીને 3 ટકા થયો.
જો આ ઇ-લોકાર્પણમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં 3 વર્ષમાં 40 હજાર પોલીસની ભરતી કરવામાં આવી છે.