ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી 26 જૂનથી ઇઝરાયેલના પ્રવાસે હતાં. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયલ પ્રવાસ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર જવા નીકળ્યા હતાં.
જો કે વિજય ભાઈ રૂપાણી સાથે ઇઝરાયલ પ્રવાસે કૃષિ રાજ્યમંત્રી જયદ્રથ સિંહ પરમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ અગ્ર સચિવ જે.પી ગુપ્તા ગૃહ સચિવ મનોજ અગ્રવાલ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર ગુજરાત એગ્રોના એમ ડી મહમદ શાહિદ રેસિડેન્ટ કમિશનર આરતી કંવર ખેતી નિયામક ભરત મોદી બાગાયત નિયામક વઘાસિયા પણ ઇઝરાયલના પ્રવાસમાં મુખ્યમંત્રી સાથે જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ પ્રવાસ દરમ્યાન ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપી છે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઇઝરાયેલની સિંચાઇ અને ગ્રીન હાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્ર ની અગ્રગણ્ય કંપની મુલાકાત સાથે ઇઝરાયેલનાં જેરૂસલામમાં ૮૦૦ કરતા વધુ વર્ષથી ભારતીયો માટે વિરામ સ્થાન-ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ સાથે વિવિધ શહેરો જેમકે જેરૂસલામમાં ૧રમી સદીમાં ૪૦ દિવસ સાધના કરનારા ભારતીય સુફી સંત બાબા ફરીદને આદરાંજલિ વિજયભાઇ રૂપાણીએ અર્પણ કરી. તેમજ જેરૂસલામની ભૂમિ પર પાછલા અનેક દશકોથી ઇન્ડીન હોસ્પિલટના સંચાલન દ્વારા ભારતીય સંસ્કાર સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની સુપેરે સાચવણી કરતા અન્સારી પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.