ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીના ભાગરૂપ ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં CM રૂપાણીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ચાવડાના નિવેદન પર CM રૂપાણીના પ્રહાર
"અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે"
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોંગ્રેસ નેતા પર વરસ્યા
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ જ્ઞાન શક્તિ દિવસ કાર્યક્રમની ઉજવણી બાદ પત્રકાર પરિષદને સંબોધનને કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અમિત ચાવડાને લઈને આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.
એની ઘડીઓ ગણાઈ રહી છે : CM
CM રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં હસતા હસતા કહ્યું હતું કે, હવે મારે શું કહેવું ? અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે. નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે.
નીતિન પટેલ પણ વરસ્યા
કોંગ્રેસના અમિત ચાવડા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વરસ્યા હતા. નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઘણા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જબરદસ્ત હારને પગલે રાજીનામું આપ્યું હતું તો વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપ્યુ છે. આમ રાજીનામું આપ્યું હોવા છતાં કોંગ્રેસના હોદ્દા છોડતા નથી. તો એવું પણ જણાવ્યું કે, પરિવારવાદમાં કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક પણ કરી શકતી નથી. મીડિયામાં રહેવા માટે કોંગ્રેસ આ પ્રકારના નિવેદનો આપે છે.