સોશિયલ મીડિયાના આ મેસેજ પર CM રૂપાણીએ સ્પષ્ટતા કરી દીધી છે, CM રૂપાણીએ કહ્યું, મારા દિકરાના મે મહિનામાં લગ્નની વાત પાયા વિહોણી છે
સોશિયલ મીડિયાના મુદ્દા અંગે CM રૂપાણીની સ્પષ્ટતા
દિકરાના લગ્નના સમાચાર મુદ્દે કરી સ્પષ્ટતા
મારા દિકરાના મે મહિનામાં લગ્નની વાત પાયા વિહોણી છે
ગુજરાતમાં હાલ સોશિયલ મીડિયામાં એક મુદ્દો ખુબ ચર્ચાયેલો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીના દિકરાના લગ્નને લઈ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયાના આ મેસેજ પર CM રૂપાણીએ સ્પષ્ટતા કરી દીધી છે. CM રૂપાણીએ કહ્યું, મારા દિકરાના મે મહિનામાં લગ્નની વાત પાયા વિહોણી છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલા સમાચાર ખોટા છે. અત્યારે અમારૂ ધ્યાન માત્ર કોરોનાની કામગીરી પર છે.
સોશિયલ મીડિયાના સમાચારને ગણાવ્યા Fake
CM રૂપાણીએ સોશિયલ મીડિયામાં ચાલતા તેમના પુત્ર અંગેના સમાચારને Fake ગણાવ્યા છે. ખુદ મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા એટલે ફેસબુક, ટ્વીટર સહિતના માધ્યમ પર એક પોસ્ટ કરી છે. જેમાં પોતાના પુત્રના લગ્ન અંગે ચાલતી ચર્ચાને Fake ન્યૂઝ ગણાવ્યા છે. અને તમામ માહિતી પાયાવિહોણી હોવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારનું કોઈ આયોજન ન તો પહેલાથી નિર્ધાર હતું. ના મે મહિનામાં લગ્નનું કોઈ આયોજન છે. સાથે સ્પષ્ટતા પણ કરી કે, અત્યારે અમારુ ધ્યાન માત્ર કોરોનાની સ્થિતિ પર છે.