ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દિલ્હીની મુલાકાતે જશે. દિલ્હીમાં આજે સાંજે પીએમ મોદી સાથે બેઠક કરશે. આ બેઠકમાં સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહેશે.
આ સાથે જ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન સિંહ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠક બાદ મંગળવારે ભાજપ શાષિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે.
આ મામલે મળતી વિગત અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન તેમજ Dy CM આજે સાંજે દિલ્હીની મુલાકાતે જવાના છે. નર્મદા નજીક આકાર પામી રહેલ સરદાર પટેલની પ્રતિમાને લઇને તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરશે.
આ સાથે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી મામલે પણ તેઓ વાતચીત કરવાના હોવાનું નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અચાનક દિલ્હીની મુલાકાતને પગલે રાજકીય નિષ્ણાંતોમાં પણ વિવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આ મુલાકાત અંગેની વધુ વિગત મુખ્યમંત્રી દિલ્હીથી પરત આવે ત્યારબાદ જાણવા મળી શકે તેમ છે. આપને જણાવી દઇએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત લઇને સમીક્ષા કરી હતી.