ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે નિવૃત્ત સેક્રેટરી જે.જી ભટ્ટ હ્રદયની બીમારીની સારવાર લઇ રહ્યા હતા.
જેને લઇ જે. જી. ભટ્ટને ICUમાં રખાયા છે. ત્યારે ICUમાં સિવિલ હોસ્પિટલની લાપરવાહીના કારણે દર્દીએ આંખ ગુમાવવી પડી છે. ઉલ્લેખનીય છે કે અવાર નવાર આવી ઘટનાઓ સામે આવે છે. જેને લઇ લોકોનો સરકારી હોસ્પિટલ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
જ્યારે આ અંગે ગાંધીનગર સિવિલ સુપરીટેન્ડેન્ટ નિયતિ લાખાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે, સિવિલમાં ઉંદરોનો ત્રાસ છે પરંતુ ઉંદરના કારણે દર્દીની આંખ કોતરાઇ નથી. આમ હોસ્પિટલની અંદર દર્દીની આંખને કેમ નુકસાન થયું તે અંગે તપાસ કરાશે.
ત્યારે અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે, ક્યાં સુધી તબીબો આટલા લાપરવાહ રહેશે ? જો ગાંધીનગરની જ સિવિલ હોસ્પિટલમાં આવી હાલત છે તો અન્ય સિવિલ હોસ્પિટલની શું વાત કરવી ? ICUમાં દર્દી પર કેમ ધ્યાન રાખવામાં ન આવ્યું ? શું ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ જ નહીં કરવામાં આવતું હોય ?