પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવેલ બાળકને ડોક્ટર્સ હાલ સ્મિતના નામે બોલાવી રહ્યા છે.
પેથાપુર સ્વામીનારાયણ મંદિરમાંથી બાળક મળવા મામલો
સિવિસના ડોક્ટર્સ બાળકને સ્મિત કહીને કરે છે સંબોધન
ગૃહરાજ્ય મંત્રીએ પણ બાળકની લીધી મુલાકાત
ગત મોડી રાતે તરછોડાયેલું બાળક મળી આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે અને રાજ્યના ગૃહમંત્રી ખૂદ પોતાના આજના તમામ કાર્યક્રમોને મૂલતવી રાખીને ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 9, 2021
નાગરિકોને ગૃહમંત્રીની અપીલ
જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યો છે જેના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરવામાં આવી છે, સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસમાં જોડાવવા સૂચના આપી છે. સાથે જ નાગરિકોને અપીલ કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો સારા હેતુ માટે ઉપયોગ થાય અને બાળકની તસવીરને મેક્સિમમ શેર કરવામાં આવે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે,હાલ દિપ્તી બહેન બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.
બાળકને સ્મીત કહીને બોલાવે છે ડોક્ટર્સ
તરછોડાયેલી હાલતમાં મળી આવેલ બાળક અંગે કોઈ જ અત્તોપત્તો હજી સુધી મળ્યો નથી ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હાલ બાળકને સ્મીત કહીને બોલાવી રહ્યા છે.
તરછોડાયેલા બાળકની સાર-સંભાળ રાખતા દિપ્તી બહેન સાથે ખાસ વાતચીત, જુઓ VIDEO
CCTVના આધારે પોલીસ તપાસમાં જોડાઈ
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે બાળકને તરછોડનારને શોધવા તે પ્રાથમિકતા છે, અને તેઓ પોતે જ હર્ષ સંઘવી પોતે જ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે અને પોલીસ પણ બાળકોના પરિવારજનોની તપાસ કરી રહી છે જો કે હજુ સુધી બાળકની પરિવારજનોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આજે વહેલી સવારથી જ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે. મંદિરમાં બાળકને તરછોડી જનારના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ફુટેજના આધારે પણ તપાસ કરી રહ્યા છે.
બાળકના માતા-પિતાને શોધવા 7 ટીમો તૈયાર
મહત્વનું છે કે પેથાપુરાના સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસની 7 ટીમો તૈયાર કરાઈ છે, સાથે જ LCB અને SOGની 4 ટીમો તપાસમાં સામેલ છે અને મહિલા પોલીસની 2 ટીમો, સ્થાનિક પોલીસની 2 ટીમો પણ તપાસ હાથ ધરી રહી છે. બાળકના પરિવારને શોધવા માટે સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાઓમાં મોકલાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવામાં પણ 2 ટીમો કામે લગાડાઈ છે. પોલીસની 1 ટીમ દ્વારા તમામ રાજ્યોના પોલીસ કંટ્રોલ રૂમમાં બાળકની માહિતી પહોંચાડાઈ જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલા બાળકોની મિસિંગ કમ્પ્લેઈન નોંધાઇ કે કેમ તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ બાળકના માતા પિતા અને પરિવારજનોને શોધવા માટે ગાંધીનગર પોલીસે અલગ અલગ 40 CCTV ફૂટેજની તપાસ કરી છે.
મંદિરમાં બાળકને મૂકી જનાર કોણ?
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક મળી આવ્યું છે, મોડી રાત્રે બાળકને કોઈ અજાણી વ્યક્તિ મંદિરમાં મૂકી જતા અનેક તર્ક વિર્કતો થઈ રહ્યા છે. કોણ કુમળી વયના બાળકે આમ રસ્તે રઝળતા છોડીને ચાલ્યું ગયું, બાળકને મંદિરમાં ત્યજી દેવાનું આખરે કારણ શું એટલે લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.