ગાંધીનગર: કોંગ્રેસ વર્કિગ કમિટી બેઠક મામલે CM રૂપાણીએ આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કોંગ્રેસ એક જ પરિવારની પાર્ટી હોવાથી એક જ મંચ પર દેખાય તે સ્વાભાવિક છે, તેમ કહ્યુ હતું. તો સાથે સાથે 55 વર્ષની સત્તામાં કોંગ્રેસે ખેડૂતો માટે તથા રોજગારી માટે કંઈ ન કર્યુ હોવાનું પણ જણાવ્યુ હતું.
તેમજ PMએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે અને તેથી ગુજરાતની જનતા PM મોદી સાથે છે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીને લઈને આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક અમદાવાદમાં મળવાની છે.
ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી,યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહનસિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ માટે વર્કિંગ કમિટીની બેઠક ખુબ મહત્વની બની રહેશે. ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનું રાજ્ય રહ્યું છે. જેથી ગુજરાતથી દેશ જીતવાની તૈયારી કોંગ્રેસ કરી રહી છે. મળતી માહિતી મુજબ 50 વર્ષમાં પહેલીવાર CWCની બેઠક ગુજરાત ખાતે મળશે.