ગાંધીનગર / અમિત શાહે વાઘાણી અને પ્રદિપસિંહને ખખડાવ્યાં! દિવાળી બાદ સંગઠનમાં ઘરખમ ફેરફારની સંભાવના

Gandhinagar BJP Amit shah Vijay Rupani jitu vaghani

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ બાદ ગાંધીનગર પહોંચ્યા છે. અમિત શાહ ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જો કે ભાજપના અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સહિત નેતાઓને ખખડાવ્યા હતાં.પેટાચૂંટણીની છ બેઠકમાં પણ વિજય ન મેળવી શકતાં નારાજગી વ્યક્ત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ