ગાંધીનગર: રાજ્યભરના 11 હજાર જેટલા તલાટીઓ આજથી અનિશ્ચિતકાલીન હડતાળ પર ઉતરશે. તલાટીઓએ અગાઉ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ સરકાર તરફથી માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતા તલાટી મહામંડળ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
જૂની પેન્શન યોજના પંચાયત અને મહેસૂલના જોબચાર્ટ એક તલાટીને એક ગામ સોંપવુ સહિતની એવી અનેક માંગો છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તલાટી મહામંડળે એવું પણ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ ન માત્ર હડતાળ કરશે પરંતુ સરદાર એકતાયાત્રાથી પણ અળગા રહેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટિના કાર્યક્રમને પણ સહકાર નહીં આપે.
આ મામલે મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે તલાટીઓની ઓડિટર માંગણીઓ બાબતે સરકાર સામે અનેકવખત રજુઆત કરી છે. ગાંધીનગરમાં ધરણા કરવા છતાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતા 22 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરીશું. ગ્રામજનોને પહોંચનાર અસુવિધા માટે અમે દિલગીર છીએ. વધુમાં તેમણે કહ્યું કે સર્કલ ઇન્સ્પેકટરની પોસ્ટ અપગ્રેડ કરી અમલવારીમાં નાણાકીય લાભ થતો નથી.
જૂની પેન્શન યોજના શરૂ કરવી. પંચાયત અને મહેસુલ ના જોબચાર્ટ યોગ્ય કરવામાં આવે. એક તલાટી એક ગામ સોંપવામાં આવે. સરકારની તમામ પ્રકારની કામગીરી ખોરવાશે.
તલાટી વિકાસના પાયામાં છે હાલની યોજનાઓમાં પણ મહત્વનો રોલ અમારો છે. સાચી માંગણી સરકાર સ્વીકારે અમારી વાત કોઈ સાંભળતું નથી. 11 હજાર તલાટીઓ હડતાલમાં જોડાશે અમે લીગલ એડવાઇઝર નિમ્યા છે હાઇકોર્ટ સુધી લડવા અમે તૈયાર છીએ.