કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો સાથે જ સીએમ રૂપાણી અને નીતિન પટેલની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે કલોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.
અમિત શાહે કલોલમાં ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
અમિત શાહે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં આપી હાજરી
સીએમ રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ
અમિત શાહે કલોલ-મહેસાણા બ્રિજનું લોકાર્પણ કર્યું
અમિત શાહે કલોલમાં ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કલોલ-મહેસાણા બ્રિજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લો મુક્યો છે. અમિત શાહે બ્રિજ ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી છે. આમ 65 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજથી સ્થાનિકો પણ ખુશ છે. સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજથી હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. અમિત શાહે કલોલ APMC ખાતે ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું.
મહાત્મા મંદિર ખાતે અમિત શાહે કર્યું સંબોધન
અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સંબોધન કર્યું કહ્યું હતું. જેમાં અમિત શાહે સંબોધનની શરૂઆતમાં ધનતેરસની શુભકામના આપી હતી. હું અહિયા સાંસદ તરીકે આવ્યું છું. જ્યારે સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું હોવાનું કહ્યું છે. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસના કામ કર્યાં છે.
અમિત શાહે વિકાસને લઇને કહી આ વાત
અમિત શાહે સંબોધન કરતાં કહ્યું કે દરેક સાંસદે પોતાના ક્ષેત્રનું નિવારણ લાવવું જોઇએ. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસના કામ કર્યાં. ગ્રામીણ વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો. મોદી સરકારે સાચા અર્થમાં ગરીબી હટાવવાની શરૂઆત કરી.