પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું AAPના વિચારો હતા તે ભૂલીને ભાજપમાં આવ્યા, તો AAPનો દાવો ભાજપના જ હતા અસલી ચહેરા સામે આવ્યા
3000 હજાર લોકો આજે ભાજપમાં જોડાયા છેઃ પ્રદીપસિંહ
જે ભૂલ સમજાય જે ખોટા પક્ષમાં હતા તે ભાજપમાં આવ્યાઃ પ્રદીપસિંહ
"AAP તૂટી રહી હોવાનું ભાજપ માહોલ ઉભો કરી રહી છે": મનોજ સોરઠીયા
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકરો પક્ષથી નારાજ થતાં પક્ષ છોડીને અન્ય પક્ષનો ખેસ ધારણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે.સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતના આમ આદમી પાર્ટીના આશરે 3 હજાર જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો. સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે AAPના ટેકેદારો અને સમર્થકો અને નેતાઑ ભાજપમાં સામેલ થઈ ગયા છે. પંજાબ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાત AAPમાં નવા પ્રાણ ફૂંકાયા હતા જે બાદ ભાજપએ 3 હજાર કાર્યકરો જોડી સૌથી મોટો ઝટકો આપ્યો છે.
AP તૂટી રહી હોવાનું ભાજપ માહોલ ઉભો કરી રહી છે: મનોજ સોરઠીયા, AAP પ્રદેશ મહામંત્રી
AAP કાર્યકરો ભાજપમાં જોડાવાનો મામલે AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ AAPના કેટલાક કાર્યકરોને જોડાવાનું નાટક કરી રહી છે અને લોકોને ભરમાવાના કામ કરી રહી છે. AAPના તરછોડાયેલા બે ચાર લોકો ભાજપમાં જોડાયા છે પણ 1500 જેટલા AAP કાર્યકરો જોડાયા આ વાત તદન ખોટી છે. AAP તૂટી રહી હોવાનું ભાજપ માહોલ ઉભો કરી રહી છે પણ આજે જે જોડાયા તેમાંથી મોટા ભાગના લોકો ભાજપના જ છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું હતું કે અમને ખુશી છે જેઓ જોડાયા તેઓના અસલી ચહેરા અમારી સામે આવ્યા છે.
ભાજપમાં જોડાયા બાય કાર્યકરોએ શું કહ્યું?
જો કે આપની ટોપી છોડીને ભાજપની ટોપી પહેરી રહેલા આપના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં કામ કરનારા નેતાઓ અને કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે.પ્રદેશ લેવલના નેતાઓ કોઈ નોંધ લેતા નથી.જેથી આજે અમે વિધિવત રીતે અમે આમ આદમીની ટોપી ઉતારી ભાજપની ટોપી પહેરી રહ્યા છીએ.
મનીષા કુકડિયાનું સભ્યપદ રદ કરવા ભાજપની માંગ
સુરત શહેરમાં ભાજપમાંથી AAPમાં જોડાયેલા કાર્પોરેટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. AAPમાંથી ભાજપમાં અને ભાજપમાંથી પરત AAPમાં જોડાયેલા કોર્પોરેટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કોર્પોરેટર મનીષા કુકડિયા સામે ભાજપ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. પક્ષ પલટો કરી પક્ષાંતર ધારાનું ઉલ્લંઘન કરવા બાબતે સુરત ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શહેરી વિકાસના સચિવને ફરિયાદ કરી સભ્યપદ ડિસ્ક્વોલીફાય કરવા માટે માંગ કરાઇ છે