અક્રાઃ ઘાનાથી સૌથી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં લાગેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને વિદ્યાર્થીઓનાં વિરોધ બાદ હટાવી દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે અશ્વેત અફ્રીકી લોકોની વિરૂદ્ધ ગાંધી નસ્લવાદી હતાં.
ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બંને દેશોની વચ્ચેનાં સંબંધોનાં એક પ્રતીકનાં રૂપમાં બે વર્ષ પહેલા અક્રામાં ઘાના વિશ્વવિદ્યાલયમાં વૈશ્વિક શાંતિનાં દૂત મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું.
વ્યાખ્યાતાઓએ જો કે ગાંધીનાં તે કથનનો હવાલો આપતા કહ્યું કે તેઓની પ્રતિમાને હટાવવા માટેનું આહ્વાન કર્યું હતું કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અશ્વેત અફ્રીકી લોકોની તુલનામાં ભારતીય "શ્રેષ્ઠ" છે.
પ્રતિમાને હટાવવા માટે ઓનલાઇન વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓએ જણાવ્યું કે અક્રામાં વિશ્વવિદ્યાલયનાં લેગોન પરિસરમાં લાગેલી ગાંધીજીની પ્રતિમાને મંગળવારનાં અને બુધવારની રાત્રીએ હટાવી દીધી હતી.
અફ્રીકી અધ્યયન સંસ્થાનમાં ભાષા સાહિત્ય અને નાટકનાં પ્રમુખ ઓબ્દેલ કમ્બોને કહ્યું કે પ્રતિમા હટાવવાનો મુદ્દો "આત્મ-સમ્માન"નું હતું. વિશ્વવિદ્યાલય અધિકારીઓએ આ સંબંધમાં પ્રતિક્રિયા વ્યક્ત કરવાથી ઇન્કાર કરી દીધો. જો કે વિદેશ મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે "વિશ્વવિદ્યાલયનો આ એક આંતરિક નિર્ણય છે."