હરિયાણા સરકારે ગાંધી -નહેરુ પરિવારની સંપત્તિઓની તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ હરિયાણાના શહેરી સ્થાનીય નિકાય વિભાગને સંપત્તિઓની તપાસના આદેશ આપ્યા છે. હકિકતમાં આરોપ છે કે 2005થી 2010ની વચ્ચે ગાંધી- નહેરુ પરિવારના નામે હરિયાણામાં અનેક સંપત્તિ ભેગી કરી છે.
કેન્દ્ર સરકારે હરિયાણા સરકારે પત્ર લખ્યો હતો
ગાંધી- નહેરુ પરિવારના ટ્રસ્ટની થશે તપાસ
પરિવારની બાકીની સંપતિના તપાસના આદેશ
હરિયાણામાં 2005થી 2014ની વચ્ચે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સરકાર હતી. આ દરમિયાન કોંગ્રેસના અનેક ટ્રસ્ટ અને ગાંધી- નહેરુ પરિવાર માટે અનેક સંપત્તિ બનાવી હતી. કેટલીક સંપતિની પહેલાથી જ તપાસ થઈ રહી છે. હવે કેન્દ્રના પત્ર બાદ ગાંધી - નહેરુ પરિવારની બાકીની સંપતિના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે હરિયાણા સરકારને રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રેસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સાથે જોડાયેલી સંપત્તિઓના તપાસના આદેશ આપ્યા છે. આ બાદ મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ શહેરના સ્થાનિય નિકાય વિભાગને તપાસની જવાબદારી આપી છે.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને પ્રધાનમંત્રી રાહત કોષથી ડોનેશનના સમાચાર આવ્યા બાદ કેન્દ્ર સરકારો ગાંધી- નહેરુ પરિવાર સાથે જોડાયેલા ટ્ર્સ્ટ અને ફાઉન્ડેશનના તપાસના આદેશ આપ્યા હતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રેસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ માટે કમિટિ બનાવી છે.
રાહુલે મોદી સરકાર પર સાધ્યો હતો નિશાનો
ગાંધી- નહેરુ પરિવાર સાથે જોડાયેલા ટ્ર્સ્ટના તપાસને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કહ્યુ કે પીએમ મોદીને લાગે છે કે આખી દુનિયા તેમના જેવી છે .તેમને લાગે છે કે દરેકની એક કિંમત હોય છે અથવા ડરાવી શકાય છે. પણ એ ક્યારેય નહીં સમજે કે જે સાચુ બોલે છે તેમને ક્યારેય ડરાવી કે ખરીદી ન શકાય.