કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે"દેશમાં કેટલીક શક્તિઓ લોકોને આપસમાં લડાવીને તેમની વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. આઝાદીના 75 વર્ષ પછી દેશની આવી હાલત વિશે આપણા પૂર્વજોએ વિચાર્યું પણ નહિ હોય.
લોકોના અભિવ્યક્તિના અધિકાર પર જોખમ ઊભું થયું છે: સોનિયા ગાંધી
આઝાદીના 75 વર્ષે દેશની આ સ્થિતિ આપણા પૂર્વજોની વિચાર ક્ષમતાથી પણ દૂર: કોંગ્રેસ અધ્યક્ષા
દેશની કેટલીક પાર્ટીઓ લોકો વચ્ચે નફરત ફેલાવીને લડાવી રહી છે: સોનિયા ગાંધીનું વિધાન
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે દેશમાં કેટલીક પાર્ટીઓ લોકો વચ્ચે નફરત ફેલાવીને તેમને લડાવવાની કોશિશ કરી રહી છે. આ સમયે દેશમાં અભિવ્યક્તિના અધિકાર ઉપર તરાપ મારવામાં આવી રહી છે, અને તે શક્તિઓ દેશના મોટા વર્ગને મૌન રાખવા માંગે છે.
None of our ancestors, including Mahatma Gandhi, Jawaharlal Nehru & BR Ambedkar, would have imagined that our country will be facing such a tough situation after 75 years of independence when our democracy & Constitution are under threat: Sonia Gandhi, Congress interim president https://t.co/gWZOPDY7ld
ગાંધી, નહેરુ અને આંબેડકર જેવા પૂર્વજોએ પણ નહી કલ્પી હોય આ પરિસ્થિતિ
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું હતું કે "ગાંધી, નહેરુ અથવા આંબેડકર જેવા આપણા પૂર્વજોએ કદી કલ્પના પણ નહોતી કરી કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા પછી દેશમાં એવી પરિસ્થિતિ હશે કે બંધારણ અને લોકશાહીનું અસ્તિત્વ મુશ્કેલીમાં મૂકાઈ જશે."
કોંગ્રેસની અંદર ઉઠી રહી છે ચૂંટણીની માંગણી
નોંધનીય છે કે આ સમયે કોંગ્રેસ પણ ખરાબ રીતે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર કહ્યું છે કે, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓની નારાજગી હોવા છતાં, કોંગ્રેસ કાર્યકારી સમિતિ સહિત સંગઠનના મુખ્ય હોદ્દા માટે ચૂંટણીઓ યોજાવી જોઈએ
.
તેમણે એમ પણ કહ્યું હતું કે જેઓ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેઓ તેમના પદ પર જવાથી ડરતા હોય છે. આઝાદે કહ્યું હતું કે, જો સંગઠનમાં ચૂંટણીઓ યોજાતી નથી, તો કોંગ્રેસ આગામી 50 વર્ષો સુધી વિપક્ષમાં બેસશે.