દેશ આજે મહાત્મા ગાંધીની 151મી જયંતી મનાવી રહ્યો છે.આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમ આયોજિત કરાય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બાપુ તેમના જન્મદિવસે શું કરતા હતા અને કેવી રીતે મનાવતા હતા.
આજે મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતી
દેશ બાપુને અનેક રીતે યાદ કરે છે
બાપુ તેમના જન્મદિવસે કરતા હતા આ કામ
ગાંધીવાદી રામચંદ્રના અનુસાર ભાગ્યે જ ગાંધીજી તેમનો જન્મદિવસ મનાવતા હતા પરંતુ લોકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવતા. તેઓએ 100 વર્ષ પહેલાં કહેલી વાતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજથી 102 વર્ષ પહેલાં 1918માં ગાંધીજીએ તેમનો જન્મદિવસ મનાવનારાને કહ્યું કે મારા મૃત્યુ બાદ મારી કસોટી થશે કે હું જન્મદિવસ મનાવવા લાયક છું કે નહીં.
પોતાના જન્મદિવસ 2 ઓક્ટોબરે શું કરતા બાપુ?
ગાંધીવાદી રામચંદ્રના અનુસાર આ દિવસ બાપુ માટે ગંભીર રહેતો. તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા, ચરખો ચલાવતા અને સાથે મોટાભાગનો સમય મૌન રહેતા. કોઈ પણ મહત્વપૂર્ણ દિવસે બાપુ આવું જ કરતા હતા. રાહીએ કહ્યું છે કે સરકાર આજે ગાંધી જયંતી પર અનેક કાર્યક્રમો અને સમારોહ આયોજિત કરે છે. સરકારને ગાંધીજીના વિચારો સાથે લેવા દેવા નથી. તેઓ તેમના સ્વાર્થ માટે ગાંધીજીનું નામ વાપરે છે. તેઓ કહે છે કે જો સરકાર સાચે જ ગાંધીજીનો જન્મદિવસ મનાવવા ઈચ્છે છે તો તેઓએ ગાંધીજીના વિચારો પર સમાજને આગળ લાવવાની કોશિશ કરવી જોઈએ. વર્તમાન સરકાર ગાંધીને અને તેમના જન્મદિવસને સફાઈ સાથે જોડે છે.
ગાંધી જયંતિના નામ હેઠળ સરકારની તરફથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેની પર રાહીએ કહ્યું કે જો સફાઈને વિશે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કરનારાને સુવિધા પૂરી પાડવી જોઈએ. તેનાથી તેમને ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈ કર્મીને મૃત્યુના મોઢામાં ધકેલનારી સરકાર માટે આ શરમની વાત છે.