દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પૂણ્યતિથિ છે. આ અવસર પર ગાંધી પરિવાર દ્વારા તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પાર્ટીના પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રા વીર ભૂમિ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં.
આજે દેશના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની પુણ્યતિથી છે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધી પરિવાર દિલ્લીની વીરભૂમિ ખાતે પહોંચ્યા હતો. ગાંધી પરિવાર સાથે અહીં પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહ પણ હાજર રહ્યા હતા. વીરભૂમી ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સહિત અન્ય નેતાઓ પણ પહોંચ્યા અને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Delhi: Congress President Rahul Gandhi, UPA Chairperson Sonia Gandhi and Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra pay tribute to former Prime Minister #RajivGandhi, on his death anniversary at Veer Bhumi. Robert Vadra also present. pic.twitter.com/njKY1jT6rv
ઉલ્લેખનીય છે કે તમિલનાડૂના શ્રીપેરંબદૂર ખાતે 21 મે, 1991ના રોજ એક બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે એક છોકરી ચંદનનો હાર લઇ તેમના તરફ આગળ વધી, જ્યારે તે તેમના પગે લાગવા ઝૂકી કે બ્લાસ્ટ થયો હતો.
Tributes to former PM Shri Rajiv Gandhi on his death anniversary.
— Chowkidar Narendra Modi (@narendramodi) May 21, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. પીએમ મોદી ટ્વીટ કરતા કહ્યું કે, રાજીવ ગાંધીની પુણ્યતિથિ નીમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ.