ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ગણપતગીરી બાપુનું નિધન થતાં તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.
ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત દેવલોક પામ્યા
પૂજ્ય ગણપતગીરી બાપુએ લીધા અંતિમ શ્વાસ
નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી પાલખીયાત્રા
જૂનાગઢ ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર અને દતશિખર તથા નીલકંઠ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણપતગીરી બાપુ ગુરુ શ્રી પ્રભાતગીરી બાપુ આજે દેવલોક પામ્યા છે. આ અંગેના વાવડ વહેતા થતાં સંતો-મહંતો અને સેવક સમુદાયમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે. વધુમાં અંગે લોકોને જાણ થતાં તેમના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત હતા ગણપતગીરી બાપુ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય ગણપતગીરીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઇને રાજયભરમાં તેમના ભક્તગણમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. પૂજ્ય ગણપતગીરી બાપુ દેવલોક પામતા આજે તેમની પાલખી યાત્રા યોજાઇ હતી. આજે બપોરે બે નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળેલી પાલખી યાત્રામાં ભક્તો જોડાયા હતા હતી તેમ પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુની યાદીમાં જણાવાયું છે.