દેશમાં ચાલતી ધર્માંતર પ્રવૃત્તિ ધર્મ અને સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે નવસારીના હળપતિ આદિવાસીઓ ઈશુ ભગવાનના અનુયાયીઓ બન્યા. હિંદુત્વને વરેલા હળપતિ સમાજે વિરોધ કરતા પ્રલોભન આપીને ધર્માંતર કરાવતા બે પાદરીઓને ગણદેવી પોલીસે ઘરપકડ કરી છે.
ગેરકાયદેસર ધર્માંતરણ મુદ્દે બે શખ્સોની ધરપકડ થઇ છે. નવસારીની ગણદેવી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ધર્માંતરણના મુદ્દે ધરપકડ થવાનો દેશનો આ પ્રથમ કિસ્સો છે. ગણદેવી ગામના આદિવાસીને ધર્માંતરણ કરાવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. આદિવાસીઓને લાલચ આપી ગેરકાયદેસર ધર્માંતરણ કરાવતા હતાં. 200થી વધુ લોકોને ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિવાસીઓને ધાર્મિક અને સાંસારિક લાભનું પ્રલોભન આપતા હતાં.
ગુજરાતનો ધર્માંતરને લઈને ધરપકડનો પ્રથમ બનાવ બનતા ધર્માંતર કરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા હિન્દૂ હળપતિઓને ગેરકાયદે ધર્માન્તર કરવાના કિસ્સાઓ બહાર પડતા આવ્યા હતા. જેમાં ધાર્મિક અને સાંસારિક લાભો થશે એવા પ્રલોભનો આપીને ધર્માન્તર કરાતું હતું. જે બાબતને ધ્યાને લઈને ૨ પાદરીઓની ઘરપકડ કરી છે જે ધર્માંતર મુદ્દે ગુજરાતની ધરપકડની પ્રથમ ઘટના બની છે.