આણંદ અકસ્માતની ઘટનાને લઈ વડાપ્રધાન મોદીએ તમામ મૃતકોના સ્વજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે
આણંદમાં ગમખ્વાર રોડ અકસ્માત મામલો
વડાપ્રધાન મોદી 2-2 લાખનું વળતર જાહેર કર્યું
મુખ્યમંત્રી એ ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી
અકસ્માતની ઘટના સામે આવતા વડાપ્રધાન મોદીએ તમામ મૃતકોના સ્વજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી તમામ મૃતકોને વળતર આપવાની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી હતી અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી..
Extending condolences to the family of those who lost their lives due to a road accident in Anand district of Gujarat, PM Modi announces an ex-gratia of Rs. 2 lakhs each from PMNRF to the next of kin of those dead. pic.twitter.com/icJNKggmlK
આણંદના તારાપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મોત નિપજ્યા છે. સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો આ પરિવાર ઇકો ગાડીમાં સુરતથી ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે. 10 લોકોના મોત થયાની માહિતી મળતા જ અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા તેમજ પોલીસ સહિત સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
ગૃહમંત્રી અમિત શાહે સંવેદનાઓ વ્યક્ત કરી
આ તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ આણંદમાં સર્જેયેલા અકસ્માતને પગલે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું- એક જ પરિવારના 11 સભ્યોએ જીવ ગુમાવ્યાના સમાચાર વિચલિત કરી દે એવા છે. ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના
આણંદના તારાપુર હાઇવે પર થયેલ અકસ્માતના સમાચાર જાણીને અત્યંત વ્યથિત છું. આ અકસ્માતમાં એક જ પરિવારના 11 સભ્યોએ જીવ ગુમાવ્યાના સમાચાર વિચલિત કરી દે એવા છે. ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ
મુખ્યંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કર્યો
આ તરફ મુખ્યંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...
આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...
રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ દુ:ખ વ્યક્ત કર્યું
આણંદમાં સર્જાયેલા અકસ્માતને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વિટરના માધ્યમથી દુ:ખ વ્યક્ત કર્યું છે શિક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગંભીર અકસ્માત: સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10નાં મોત, 1 બાળકી પણ સામેલ, હોવાના સમાચાર થી વ્યથિત : સદગત આત્માઓ ને શ્રદ્ધા સુમન. માર્ગ અકસ્માતો રોકવા પ્લાન બનાવવો જરૂરી . મૃતકો અમારા ભાવનગરના હોવાની માહિતી છે.
અશુભ સમાચાર : ગંભીર અકસ્માત: સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10નાં મોત, 1 બાળકી પણ સામેલ, હોવાના સમાચાર થી વ્યથિત : સદગત આત્માઓ ને શ્રદ્ધા સુમન . માર્ગ અકસ્માતો રોકવા પ્લાન બનાવવો જરૂરી . મૃતકો અમારા ભાવનગરના હોવાની માહિતી છે . pic.twitter.com/REXf1KXIbS