રવિવારે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના એજીએમ ખાતે રવિવારે બબાલ થયા બાદ એસોસિએશનના પ્રમુખ પદના નામ વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અધ્યક્ષ બની શકે છે. જોકે, ડીડીસીએના સચિવ વિનોદ તિહાડાએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, ગંભીર સાંસદ પદેથી રાજીનામું આપે તો જ અધ્યક્ષ બની શકે છે.
ગંભીર સાંસદ પદેથી રાજીનામું આપે તો જ અધ્યક્ષ બની શકે છે
ડીડીસીએના સચિવ વિનોદ તિહાડાએ કહી આ વાત
એજીએમ દરમિયાન મારામારી સામે કડક કાર્યવાહી થશે
ડીડીસીએએ તેના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સોમવારે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સુધીનો સમય માંગ્યો હતો. ડીડીસીએએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લોઢા સમિતિની ભલામણો મુજબ, ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર અધ્યક્ષ પદ માટે લડવા યોગ્ય નથી.
DDCA GOES “ALL OUT”...AND DDCA IS ALL OUT FOR A SHAMEFUL DUCK. Look, how handful of crooks are making mockery of an institution. I’d urge @BCCI@SGanguly99@JayShah to dissolve @delhi_cricket immediately. Surely, sanctions or even a life ban for those involved. pic.twitter.com/yg0Z1kfux9
આ રાજ્ય ક્રિકેટ સંઘે એજીએમ દરમિયાન મારામારી પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને પૂર્વ દિલ્હીના લોકસભાના સાંસદ ગૌતમ ગંભીર દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. તેમણે બીસીસીઆઈ પ્રમુખ સૌરભ ગાંગુલીને પણ આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. ડીડીસીએના સચિવ વિનાદ તિહાડાએ સોમવારે જણાવ્યું હતું કે, 'લોકપાલ દિપક વર્માને અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવા માટે વધારાનો સમય આપવા વિનંતી કરવામાં આવશે. જાન્યુઆરીના અંતમાં ચૂંટણી યોજાવાની છે પરંતુ વિનંતી કરવામાં આવશે કે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી બાદ આ કરવામાં આવે.'
તિહાડાએ કહ્યું એજીએમ વિવાદ સામે કાર્યવાહી કરાશે
રજત શર્માએ ગયા મહિને રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલા અધ્યક્ષ પદ માટે ગંભીરની ઉમેદવારી અંગે, તિહાડાએ કહ્યું કે, 'દિલ્હી ક્રિકેટની સેવા કરવા માટે તેમનું સ્વાગત છે, પરંતુ તેઓ સાંસદ પદેથી રાજીનામું આપે તો જ તેઓ અધ્યક્ષ બની શકે છે. તિહાડાએ રવિવારે એજીએમ બેઠક દરમિયાન થયેલી મારામારી વિરૂદ્ધ એક અઠવાડિયામાં કાર્યવાહી થવાનું વચન આપ્યું. આ સમય દરમિયાન જસ્ટિસ (નિવૃત્ત) દિપક વર્માની ડીડીસીએના નવા લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સંયુક્ત સચિવ રાજન મનચંદાને વિરોધી પક્ષ મકસૂદ આલમએ થપ્પડ મારી દીધી હતી. તિહાડાએ કહ્યું કે એજીએમ દરમિયાન અવ્યવસ્થા ફેલાવનાર રાજ્ય મંડળના અધિકારીઓ સામે એક અઠવાડિયામાં કાર્યવાહી કરવામાં આવશે.