ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે રામાનંદ આશ્રમ નજીક રાજપીપળા-નવસારી રોડ પર અકસ્માત, ૩ સંતોના મૃત્યુ, 12ને ઈજા
ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે ગમખ્વાર અકસ્માત
માર્ગ અકસ્માતમાં ૩ સંતોના મૃત્યુ, 12ને ઈજા
સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી કાર
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યાં છે, ક્યાંક ફૂલ ઝડપના કારણે તો ક્યાંક બેદરકારીના કારણે રાજ્યમાં અક્સમાતના બનાવ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં વધુ એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે.
ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે ગમખ્વાર અકસ્માત
ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, આ ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માર્ગ અકસ્માતમાં 3 સંતાનોના મૃત્યું છે તેમજ 12 જેટલા લોકોને ઈજાએ પહોંચી છે.
માર્ગ અકસ્માતમાં ૩ સંતોના મૃત્યુ, 12 ને ઈજા
ભરૂચના કંબોડીયા-ચાસવડ વચ્ચે રામાનંદ આશ્રમ નજીક રાજપીપળા-નવસારી રોડ પર ગમખ્તવાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 3 સંતાનોના મોત થયા છે તેમજ 12 લોકોને ઈજા પહોંચી છે. પાપ્ત માહિતી અનુસાર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે કાર અથડાઈ છે. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાપામી છે.
ખેડાના કપડવંજ શહેરમાં અકસ્માત
ખેડાના કપડવંજ શહેરમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પાસે બેકાબૂ ટ્રકે 2 રિક્ષાને અડફેટે લીધી છે અકસ્માતમાં એક રિક્ષા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. ટ્રક ચાલક ટ્રક છોડી ઘટના સ્થળેથી ફરાર થયો હતો