ગળતેશ્વરનો ઓવરબ્રિજ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. મહીસાગર નદીના પાણી ફરી વળતા પુલ બંધ થયો છે. પુલ પરથી ત્રણ ફૂટ સુધીના પાણી વહી રહ્યાં છે. ગઈકાલે 10 ફૂટ સુધીના પાણી વહી રહ્યાં હતાં. કડાણા ડેમમાંથી આઉટફ્લો ઓછો થતાં પાણી ઓછા થયા છે. કાલ સુધીમાં સ્થિતિ સામાન્ય બનવાની શક્યતા છે. પુલના નિરીક્ષણ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે.