વડોદરામાં વધુ એક વખત પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયુ છે. માંજલપુરના સાંઈ ચોકડી પાસે પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભંગાણ થતા લોકો પરેશાન થયા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયું છે. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાઈપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને હજારો ગેલન પાણી રસ્તા પર ઢોળાઇ જતાં પાણીનો બગાડ પણ થયો હતો.
#Vadodara માં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ
એક વધુ પાઈપ લાઈનમાં ભંગાણ
માંજલપૂરના સાંઈ ચોકડી પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ
કોર્પોરેશનની બેદરકારી ફરી આવી સામે@VMCVadodarapic.twitter.com/ubkQS9wvPw
એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 51 જેટલા પ્રદેશોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે ત્યારે વડોદરાની માંજલપુરની સાંઇ ચોકડી નજીકથી પસાર થતી પાઇપ-લાઇનમાં ભંગાણ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીની પાઈપમાં ભંગાણ થયું હોવાથી પાણીનો મોટો જથ્થો વેડફાઇ ગયો હતો. આ મામલાને પગલે સ્થાનિક તંત્ર પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને આ પ્રકારની ઘટના આગામી સમયમાં ના બને તે માટે તંત્ર દ્વારા ચોક્કસ પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉચ્ચારી હતી.