સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયુ છે. પાઈપલાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું છે. પાઈપલાઈન તૂટતા પાણી રોડ પર ફરી વળ્યા હતા. મહત્વનુ છે કે એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે હવે હાજરો લીટર પાણી વેડફાતા તંત્રની બેદરકારી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે આ તરફ સુરતના માંડવી તાલુકાના અમલસાડી ગામમાં સરકારની ડી.એ. યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયુ છે. પાઈપ લાઈનમાં ભંગાણ થતા 20 ફુટ જેટલા પાણીની ફુવારા ઉડયા હતા. પાઈપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને આજુ બાજુના ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. જેના કારણે પાકને પણ નુકસાન થયું છે. એક તરફ રાજ્યમા પાણીની સમસ્યા થઈ રહી છે તો બીજી તરફ પાઈપલાઈનમાં ભંગાણ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
આપને જણાવી દઇએ કે એક તરફ ઉનાળાનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે તેમ છતાં ગરમીમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો છે સાથો સાથ રાજ્યના જળાશયોના પણ તળીયા દેખાવા લાગ્યા છે ત્યારે આજરોજ સુરેન્દ્રનગર અને સુરતના કેટલાક સ્થળો પર પાણીની લાઇનમાં તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.