ગગનયાન પ્રોજેક્ટ જે ઈસરોની પ્રથમ માનવરહિત સ્ત્રી રોબોટ (વ્યોમિત્ર)ને લઇ જતી ફ્લાઈટ છે તેની ઉડાન 2020ને બદલે હવે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 2021માં ઉડાવશે. આ મિશન વ્યોમિત્ર નામના રોબોટને લઇ જવાનું મિશન હતું. મહામારીને પગલે હવે ચંદ્રયાન 3 પ્રોજેક્ટ પણ મોડો થશે.
સિનિયર વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે જે રીતનું શિડ્યુઅલ અમને આપવામાં આવ્યું છે ત્યાં સુધી આ વર્ષે ગગનયાન પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવશે નહીં અને અન્ય સેટેલાઇટ લોન્ચિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. નોંધનીય છે કે આ વિલંબથી ઈસરોની ગગનયાનની આગળની યોજના જે માનવોને સ્પેસમાં લોન્ચ કરવાનો પ્રોગ્રામ ધરાવે છે તેની ઉપર પણ અસર કરશે. ઈસરોના ચેરમેન K સીવનના જણાવ્યા પ્રમાણે ગગનયાન યોજના આ વર્ષે લોન્ચ કરવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં અમે અન્ય 5 થી 6 મિશન ઉપર કામ કરી રહ્યા છીએ જેમાં GISAT 1નો સમાવેશ થાય છે.
ઈસરોની યોજના પ્રમાણે ગગનયાન માનવોને અવકાશમાં મોકલે તે પહેલા તેમની આખી સિસ્ટમ ચકાસવા માટે રોબોટને અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે. આ યોજના આ વર્ષે વિલંબિત થઇ છે જેને સુધારવા અને PM મોદીએ નક્કી કરેલી તારીખોને વળગી રહેવા માટે આવતા વર્ષે 2 માનવરહિત રોબોટ ધરાવતા યાન ઈસરોએ લોન્ચ કરવા પડશે. સીવનના જણાવ્યા પ્રમાણે આવતા વર્ષે રોબોટને મોકલવાની યોજના જે તે સંજોગો ઉપર આધારિત છે. જો કોવિડની અસરો ચાલુ રહેશે તો હજુ પણ પ્લાનમાં બદલાવ કરવા પડશે.
તેમણે એમ પણ કહ્યું કે ચંદ્રયાન 3 જેની પ્લાન કરેલી તારીખો ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 હતી તે પણ પાછું ઠેલવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન 3ના કન્ફિગરેશન ચંદ્રયાન 2 જેવા જ હતા. અમે તેની અલગ અલગ સિસ્ટમ ઉપર અત્યારે કામ કરી રહ્યા છીએ.