ગીર સોમનાથઃ તાલાલાના રમરેચી ગામમાં આવેલા કુરેશી બાગમા 30 વીઘા જમીનમાં પથરાયેલો છે. આ બાગમાં 1 લાખથી વધુ ઔષધીઓ અને 1300થી વધુ આંબાના વૃક્ષો લગાવવામાં આવેલા છે. આ વિસ્તારની લોકો મુલાકાત લેવા પણ આવતા હોય છે. જેના કારણે હવે કુરેશી બાગના ગફારભાઈ કુરેશની વૃક્ષોના સંવર્ધન માટે 378મો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગફારભાઈને રાજસ્થાનમા યોજવામાં આવેલા મેવાડ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. મહારાજા અરવલ્લસિંહના હસ્તે વિશ્વના 20 જેટલાના લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમા વૃક્ષોના સંવર્ધન માટે ગફારભાઈ કુરેશને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કુરેશી બાગના ગફારભાઇ કુરેશીને વૃક્ષોના સંવર્ધન માટે અત્યાર સુધીમા 377 એવોર્ડ દેશભરમાંથી મળી ચુક્યા છે. તાજેતરમા જ રાજસ્થાનમાં યોજાયેલ મેવાડ ફાઉન્ડેશન એવોર્ડમાં મહારાજા અરવલ્લસિંહના હસ્તે વિશ્ર્વના 20 વ્યકિતની પસંદગીમાં ગીર સોમનાથ જીલ્લાના નાના એવા રમરેચી ગામના ગફાર કુરેશીને ઔષધી તથા વનસ્પતિ સંવર્ધન તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવતા 378મો એવોર્ડ પ્રાપ્ત કરી નવો ઇતિહાસ સર્જ્યો છે.
પયાઁવરણ વનસ્પતિ સંવર્ધન હર્બલ પર જાતે જ સર્વે કરી અને 30 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઉછેર કરેલ છે. ત્યારે અત્યાર સુધીમા 6 કરોડ વૃક્ષો ઘરે ઘરે સુધી પહોચાડવાની સફળતા મળી છે. અને હજુ પણ 4 કરોડ વૃક્ષો આપી 10 કરોડ વૃક્ષો આપવાનો સંકલ્પ પુરો કરવાનો છે.