શિવ સૈનિકો રાજ્યમાં બની રહેલા રસ્તાને નુકશાન કરી રહ્યાં છે
માર્ગ નિર્માણમાં કામમાં લાગેલું મશીન સળગાવી દીધું
નીતિન ગડકરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે શિવ સૈનિકો રાજ્યમાં બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધિત કરી રહ્યા છે અને વિકાસને મંજૂરી આપી રહ્યા નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં ફાટી નીકળેલા આ લેટર બોમ્બમાં બંનેપક્ષોના કાર્યકરો વચ્ચે તિરાડ પડી હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે.
મંજૂરી આપવા અંગેવિચારણા કરશે.
વાસ્તવમાં આ પત્ર નીતિન ગડકરીએ લખ્યો હતો જ્યારે મહારાષ્ટ્રના વાશિમ ખાતે રાષ્ટ્રી ય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન શિવ સૈનિકોની
દાદાગીરીની ફરિયાદ તાજેતરમાં પ્રકાશમાંઆવી હતી અને શિવ સૈનિકોએ કથિત રીતે માર્ગ નિર્માણમાં કામમાં ઉપયોગમાં લેવાયેલા મશીનને સળગાવી દીધું હતું.
ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાંનીતિન ગડકરીએ કહ્યું હતું કે, અકોલા અને નાંદેડ વચ્ચે 200 કિલોમીટરથી વધુનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે. વાશિમ શહેરને આ નેશનલ હાઇવેના નિર્માણ સાથે જોડવા માટે એક જ બાયપાસ પણ બનાવવામાં આવનાર છે પરંતુ શિવસેનાના કાર્યકરોએ તેને અટકાવી દીધી છે. શિવસેનાના કાર્યકરોએ બાંધકામના કામમાં રોકાયેલા કોન્ટ્રા ક્ટરને પણ ધમકી આપી હતી અને મશીનને આગ ચાંપી દીધી હતી.
આવું જ રહ્યું તો કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપતા વિચારશે
વધુમાં નીતિન ગડકરીએ એમ પણ લખ્યું હતું કે શિવસેનાના કાર્યકરોદ્વારા વિક્ષેપને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ પણ અટકી ગયું છે. જો આમ જ ચાલશે તો મહારાષ્ટ્રના નાગરિક તરીકે તેઓ ઉદાસ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આવા જ બાંધકામના કામમાં વિક્ષેપ ચાલુ રહેશે તો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણને મંજૂરી આપતા પહેલા વિચારવું પડશે. જોકે, પોતાના પત્રમાં તેમણેઉદ્ધવ ઠાકરેને એમ પણ કહ્યું હતું કે તમારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને વચલો રસ્તો કાઢવો જોઈએ.