ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની મેડ ઇન ચાઇના કાર ભારતમાં પ્રવેશ નહીં કરે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ટેસ્લાને આ સંદર્ભમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે.
કેન્દ્વ સરકારે કહ્યું ભારતમાં એ કાર વેચશો નહીં જે ચીનમાં બનેલી
ઈલેક્ટ્રિક કાર પર લગાવેલા ટેક્સ પર રાહત માટે ચર્ચા ચાલી રહી છે
હાલ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું ?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "મેં ટેસ્લાને કહ્યું છે કે ભારતમાં એ ઈલેક્ટ્રિક કાર વેચશો નહીં જે ચીનમાં બનેલી છે. તમારે ભારતમાં ઈલેક્ટ્રિક કારોનું નિમાર્ણ કરવું જોઈએ અને ભારતની કારની નિકાસ પણ કરવી જોઈએ " ગડકરીએ વધુમાં કહ્યું કે, આ અંગે અમે ટેસ્લાના અધિકારીઓને કહ્યું કે, કારના નિર્માણ માટે તમે જે ઈચ્છો છો તે ભારત સરકાર પૂરી પાડશે.આ સાથે નીતિન ગડકરીએ ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કારને પણ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કાર ટેસ્લા વાહનો કરતા ઓછી સારી નથી.
કાર પર લગાવેલા ટેક્સ રાહત પર ચર્ચા ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે ટેસ્લા પોતાની ઈલેક્ટ્રિક કાર દ્વારા ભારતના ઓટો ઉદ્યોગમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અગાઉ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ભારત સરકાર પાસે કાર પર ટેક્સ ઘટાડવાની માંગ કરી હતી. એલોન મસ્કે કહ્યું હતું કે ભારતમાં આયાત ડ્યૂટી ઘણી વધારે છે. આ સંદર્ભે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ટેક્સ છૂટ સાથે સંબંધિત માંગ અંગે તેઓ હજુ પણ ટેસ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
હાલ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે
હાલમાં ભારતમાં 40 હજાર ડોલરથી વધુ મૂલ્યની આયાતી કાર પર CIF સાથે 100 ટકા આયાત ડ્યૂટી લાદે છે. આનાથી ઓછી કિંમતની કાર પર આયાત ડ્યૂટી 60 ટકાના દરે લાદવામાં આવે છે. દેશમાં વેચાયેલી મોટાભાગની કારની કિંમત 20 હજાર ડોલરથી ઓછી છે. આમાં પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું કાર માર્કેટ છે જેમાં વાર્ષિક 30 લાખ વાહનોનું વેચાણ થાય છે.