કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે "કોરોનાના સમયમાં ખેતી માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, ખેડૂતોનું જીવન બદલી શકાય તે માટે કામ કરતી પહેલી સરકાર આ દેશમાં છે"
નીતિન ગડકરીએ MSP ને લઈને કરી વાત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે સરકાર કાયદાઓ લાવી છે
અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાની દિશામાં થઈ રહ્યું છે કામ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે "કોરોનાના સમયમાં ખેતી માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, ખેડૂતો નું જીવન બદલી શકાય તે માટે કામ કરતી પહેલી સરકાર આ દેશમાં છે"
ભારત સરકારમાં મંત્રી નીતિન ગડકરીએ એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય ખેડૂતોને આંતરરાષ્ટ્રીય કિંમતો અને બજારની કિંમતોની તુલનામાં વધુ લઘુત્તમ મૂલ્ય એટલે કે MSP અપાઈ રહી છે. માત્ર પેટ્રોલની બાબતમાં આવું નથી."
90 હજાર કરોડ રૂપિયાનું પેટ્રોલ આયાત થાય છે : ગડકરી
ગડકરીએ કહ્યું હતું કે," આજની તારીખમાં દેશમાં 90 હજાર કરોડ રૂપિયાની કિંમતનું પેટ્રોલ આયાત કરવામાં આવે છે, ખેડૂતો ને તેમના પાકની સારી કિંમત મળે તે માટે જ મોદી સરકાર આ ત્રણ કાયદાઓ લઈને આવી છે, આ સિવાય ખાંડ એક્સપોર્ટ કરવા વાળા ખેડૂતોને પણ અમે ઘણી સબસીડી આપી રહયા છીએ."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે," સરકાર વધુ ને વધુ ચોખાની ખરીદી કરી રહી છે, જેનાથી ઇથેનોલ બનાવી શકાય અને ગામડાઓમાં રોજગાર આવે. આગળના પાંચ વર્ષોમાં હવે દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાની દિશામાં કામ થઇ રહ્યું છે."
ગડકરીએ આ મુદ્દે કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે "કોંગ્રેસે તેના શાસનકાળમાં કદી પણ આવા પગલાં લીધા નહોતા. જ્યારે કે હાલમાં ખેડૂતો ની ઉત્પાદકતા વધે તેની સાથે જ એવા દરેક પગલાઓ ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે કે જેનાથી તેની કમાણી વધે."
સરકાર ગરીબ ખેતમજૂરો માટે કામ કરી રહી છે : યુનિયન મિનિસ્ટર
ખેડૂત આંદોલનના મુદ્દે તેમને કહ્યું કે મારી સરકાર ગામડા અને ગરીબ ખેત મજૂરોના કલ્યાણ માટે કામ કરી રહી છે, પિયુષ ગોયલ અને કૃષિ મંત્રી તોમર કન્ટિન્યુસલી ખેડૂતો સાથે વાતચીત કરી રહયા છે, દેશના ઘણા ખરા ખેડૂતો આ કૃષિ કાયદાનું સમર્થન કરી રહયા છે પરંતુ જો અમુક ખેડૂતોને તેની સાથે વાંધો છે તો તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે."
જો કે નોંધનીય છે કે સરકાર તરફથી લગાતાર કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો ને નિર્ભય રહેવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ ખેડૂતો પૂરી રીતે આશ્વસ્ત નથી અને કાયદાઓને સંપૂર્ણ રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરી રહયા છે અને આ દિશામાં સરકાર પર વધુ પ્રેશર લાવવા માટે આગળ વધુ ધૃણા પ્રદર્શન કરવાની ઉપવાસની અને આંદોલનને વધુ તીવ્ર કરવાની યોજના બનાવી રહયા છે.