વડોદરામાં સોખડા હરિધામ મંદિરના ગાદીપતિનો વિવાદ વધુ વકર્યો છે. હવે બંને જૂથ ખુલ્લેઆમ સામસામે આવી ગયા છે. 'હરિપ્રબોધમ' જૂથના વડા પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવા માટે તેમના ટેકેદારો મેદાને પડયા છે. છેલ્લા બે મહિનાથી આ મામલે હરિધામ સંકુલમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ વધારે વકર્યો છે.
ઑડિયો ક્લીપ થઇ વાયરલ
વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વલ્લભ સ્વામી, જે.એમ. દવે, પ્રેમ સ્વામીની વાતચીત થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામી બાદ કોને ગાદીપતિ બનાવવા તે અંગે સંત વલ્લભ સ્વામી, જે .એમ .દવે , પ્રેમ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી સાથેનો ખાનગી વાર્તાલાપ વાયરલ થયો છે. જેમાં પ્રબોધ સ્વામીને ગાદીએ બેસાડવાની વાત થઇ રહી છે.
વાતચીતના અંશો
સંતવલ્લભ સ્વામી : સ્વામીજી સ્વધામ પધારતા પેહલા છ મહિના પેહલા ..આ જ જગ્યા પર ..બેય ( ત્યાગ સ્વામી-પ્રેમ સ્વામી) ને બેસાડી ને કીધેલું ...પ્રબોધ સ્વામી ને ગાદી પર બેસાડજો ...નહીતો આ સમાજ ના બે ટુકડા થઇ જશે ...ત્યાર નો આ લોચો ઉખેલાતો નથી.
જે . એમ . દવે : એને(સ્વામીજી)ધાર્યું હશે ત્યારે .....
સંતવલ્લભ સ્વામી : ના એમને(સ્વામીજી)નથી ધાર્યું આપણે લોકો એજ ધારવાનું છે ...આપણે શું કરવું એ
જે . એમ . દવે : એ(સ્વામીજી)હસતા હશે .….હસ્તા જ હશે કે જો મારું દાસ ના દાસ તમે પચાવ્યું ..આખી જીંદગી મેં કાઢી .......હવે અહીં થી મેહરબાની કરીને દરેક ..પ્રેમ સ્વામી ના પગે હાથ મૂકી ને .....બહાર ચર્ચા ના કરતા .....પ્રેમ સ્વામી પાસે આશિર્વદ માંગીએ ..પણ એ ગુરુ શુ કેશે ...હું પ્રાર્થના કરીશ ...રાઈટ!!! પેહલા તો કેવું હતું ...કે સ્વામી હુએ ચોરી કરી ...તો કે જ પોલીસ વાળો ...હા આપણે બધા મિસ(યાદ) કરીએ છીએ .... પ્રેમ સ્વામી : મને ખબર છે મારી ઔકાત શું છે ...હું કયારેય ના ભૂલું ...( હું સ્વામીજી ની જેમ આશિર્વદ નઇ આપી શકું...)
ભક્તો દર્શન કર્યા વિના પરત ફર્યા
હરિધામ સોખડા મંદિરમાં ચાલી રહેલા વિવાદને પગલે ભક્તોમાં રોષની લાગણી તો છે જ પરંતુ હવે મંદિરમાં ભક્તોની પ્રવેશબંધી બંધ કરતા ભક્તો દુઃખમાં ગરકાવ થયા છે. પૂનમ હોવાથી દૂર દૂરથી આવેલા ભક્તોએ દર્શન કર્યા વિના વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. જો કે મંદિરમાં ભક્તોને પ્રવેશ કેમ બંધ કરવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. ભક્તોનું કહેવુ છે કે હરિપ્રસાદ સ્વામી સમાજ સુધારણાનો સંદેશ આપી ગયા પરંતુ તેમના ગયા પછી તેમના વિચારોનું પાલન થતુ નથી. સમસ્યાનું સમાધાન જલ્દી આવે તેવી ભક્તોએ આશા વ્યક્ત કરી હતી.