રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની કરી જાહેરાત
તમામ 6 મૃતકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય જાહેર
રાજકોટના ગોંડલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ છ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામની દ્રશ્યો સર્જાયા હતા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની કરી જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ-ગોંડલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં અવસાન થયેલ મૃતકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે.પ્રત્યેક મૃતકના વારસદારને ₹ ૪ લાખની સહાય રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવશે.
સરકારે 4-4 લાખની સહાય જાહેર કરી
આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે કે રાજકોટ-ગોંડલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં અવસાન થયેલ મૃતકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે.પ્રત્યેક મૃતકના વારસદારને ₹ ૪ લાખની સહાય રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવશે.
મૃતકના નામની યાદી
અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
ભાનુબેન ગઢીયા
ધર્મિલ ગઢીયા
કઈ રીતે અકસ્માત થયો?
કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી તે સમયે અચાનક જ બિલિયાળા અને ભોજપરા વચ્ચે કારનું ટાયર ફાટી ગયું હતું. જેથી કાર પલટી ખાઈને ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાકા ભેર અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પહેલા 5 લોકોના મોત થયા હતા તેવી જાણકારી મળી હતી બાદમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરાવામાં આવેલા બાળકે પણ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ 108ને પણ કરાતા 108ની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતી
ગઢીયા પરિવારનો માળો વીંખાયો
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. અનેક વાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજ્યા છે. જો કે પોલીસ તમામ મૃતકોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતકોના પરિવારને ઘટનાની જાણ કરાતા પરિવારમાં શોકમાં ગરકાવ છે.