ગઢડા નગરપાલિકાના એન્જિનિયરે સરકારી મોબાઈલ પરથી કોંગ્રેસ અને નહેરુ પરીવાર વિશે ટીકા ટીપણી કરતી પોષ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, જ્યારે તંત્ર દ્વારા કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આવતી ગઢડા નગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ પટેલ કે, જેઓએ પોતાના સરકારી મોબાઈલ ફોન પરથી કોંગ્રેસ અને નહેરુ પરિવારની વિરુદ્ધ બીભત્સ ટીકા ટીપણી કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો.
જે મેસેજને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો નારાજ થયા હતા, એન્જિનિયર વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરી હતી, જ્યારે બીજીબાજુ નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા આ એન્જિનિયર વિરુદ્ધ તપાસ હાથ ધરી છે અને જો કસુરવાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.