ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત ત્રણ લોકો વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે
એસ પી સ્વામી સહિતા ત્રણ સામે નોંધાઇ ફરીયાદ
જાહેર નામાના ભંગ બદલ ગઢડા પોલીસે નોંધી ફરીયાદ
મંદિરમાં ભજન કીર્તન કરતા નોંધાઇ ફરીયાદ
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત ત્રણ લોકો વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. ગોપીનાથજી મંદિરના સત્સંગ હોલમાં ભજન કિર્તન કરતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે કલમ 188 મુજબ ફરિયાદ નોંધી છે.
હાલમાં જ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જનાધાર મજબૂત કરવાના હેતુસર સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ અનેક વખત જાહેરનામાનો ભંગ કર્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા, એટલું જ નહીં આ કાર્યક્રમમાં પ્રમુખ સીઆર પાટીલ સહિતના કેટલાંક લોકો અનેક વખત માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.