ફોન પર નિશાન ના પડે તે માટે કવર લગાવીએ છીએ, જેથી બોડીને નુકસાન ના થાય. તમામ લોકોને કવરના ફાયદા વિશે જાણકારી હશે, પરંતુ મોબાઈલ કવરના નુકસાન પણ છે.
નવો સ્માર્ટફોન ખરીદીએ તો તેનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ
મોબાઈલ કવરના નુકસાન પણ
જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી
નવો સ્માર્ટફોન ખરીદીએ તો તેનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. સ્ક્રીન અને બેક પર સ્ક્રેચ ના આવે તે માટે સ્ક્રીન ગાર્ડ અને કવર લગાવીને ફોનને અપટુ ડેટ બનાવી દઈએ છીએ. ફોન પર નિશાન ના પડે તે માટે કવર લગાવીએ છીએ, જેથી બોડીને નુકસાન ના થાય. તમામ લોકોને કવરના ફાયદા વિશે જાણકારી હશે, પરંતુ મોબાઈલ કવરના નુકસાન પણ છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
કવર લગાવવાથી ફોન જલ્દી ગરમ થઈ જાય છે, જેના કારણે ફોન હેંગ થાય છે.
કેટલાક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ફોન પર કવર લગાવવાને કારણે ફોન ગરમ થઈ જાય છે, જેના કારણે ફોન જલ્દી ચાર્જ થઈ શકતો નથી.
સારું ફોન કવર લગાવવામાં ના આવે તો બેક્ટેરિયા જામી જવાનું જોખમ રહે છે.
જો તમે પણ મેગ્નેટ વાળુ કવર લગાવો છો, તો તેનાથી GPS અને Compass યૂઝ કરવામાં મુશ્કેલીઓ આવે છે.
ફોન અલગ અલગ ડિઝાઈન વાળા હોય છે. જો ફોન પર કવર લગાવી દેવામાં આવે તો તેની ડિઝાઈન અને લુક છુપાઈ જાય છે.
સોલ્યુશન
ફોનને કવરથી નુકસાન ના થાય તે માટે ફોન પરનું ચાર્જિંગ કવર કાઢી નાખવું જોઈએ. ગેમ રમતા સમયે પણ કવર કાઢી નાખવું જોઈએ. વિડીયો શૂટ કરતા સમયે પણ ફોન પર કવર લગાવેલું ના રાખવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.