G20 સંમેલન માટે ઈટાલી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેના જંગને લઈને મોટું નિવેદન આપ્યું છે.
G20ના મંચ પરથી વેક્સિનને લઇ PM મોદીની અપીલ
ભારતીય વેક્સિનને જલ્દી માન્યતા આપે WHO: PM
ભારતે નિભાવી ફાર્મસી ઓફ ધ વર્લ્ડની ભૂમિકા: PM
પ્રધાનમંત્રીએ એક મોટું એલાન કરતા જણાવ્યું કે, હવે આગામી વર્ષે ભારત વિશ્વ માટે 5 બિલિયન વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ લક્ષ્યની પ્રાપ્તિ માટે જરૂરી હોય છે કે, અન્ય રાષ્ટ્રોપણ ભારતીય રસીને વેક્સિનને માન્યતા આપે અને ઓછા સમયમાં એપ્રૂવલ સર્ટિફિકેટ મળે.
During my remarks, I highlighted aspects relating to India’s contributions in the global fight against COVID-19, the vision of ‘One Earth, One Health’, furthering innovation in healthcare, need for resilient global supply chains and leveraging technology for human empowerment.
PM મોદીએ WHOને કરી અપીલ-સ્વદેશી વેક્સિનને મંજૂરી આપે
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં WHOએ ભારતની સ્વદેશી વેક્સિનને માન્યતા આપી નથી. પ્રોસેસ ચાલુ છે પરંતુ સતત મોડું થઈ રહ્યું છે. હવે પ્રધાનમંત્રીએ આ મામલે G20 બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો અને અપીલ કરી હતી કે, WHO ભારતીય વેક્સિનને મંજૂરી આપે.
PM મોદીએ આપ્યો મંત્ર
પ્રધાનમંત્રીએ ભારતના પ્રયાસોના વખાણ કર્યા, આ સિવાય સમગ્ર દુનિયાને પણ નવો રાહ ચિંધ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં સમગ્ર દુનિયાને અર્થ-વન-હેલ્થનો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં એવા કોઈપણ સંકટને પહોંચી વળવા માટે આ વિઝન વિશ્વની સૌથી મોટી તાકાત બની શકે છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં આ વાત પર ભાર મુક્યો કે કોરોનાના સમયમાં ભારતે પોતાને એક વિશ્વાસુ સપ્લાયરની રીતે સ્થાપિત કર્યું છે.